Algebra (બીજગણિત) શબ્દ al-Khwārizmī નામના વિદ્વાન દ્વારા લખાયેલ પુસ્તકમાંના શબ્દ “al jabr” પરથી આવ્યો છે. તે બગદાદમાં સ્થાયી થયેલો ગણિત અને વિજ્ઞાનનો વિદ્વાન હતો.
બગદાદ તે વખતે વિશ્વનું જ્ઞાન-વિજ્ઞાનના આદાનપ્રદાનનું કેન્દ્ર બન્યું હતું। તેણે ઘણા ગ્રીક અને સંસ્કૃત ગ્રંથોનું પણ ભાંષાન્તર કર્યું છે.

તેણે “ભારતીય ગણક પદ્ધતિ (computation method)” અને “ભારતીય અંકગણિતમાં સરવાળા અને બાદબાકી” નામના ગ્રંથ પણ લખ્યા છે. જો કે ભારતમાં બ્રહ્મગુપ્ત, વરાહમિહિર અને ભાસ્કર-2 નામના વિદ્વાનો તો આરબોએ ગણિત પર કામ કર્યું તેની સદીઓ પહેલા થઈ ગયા હતા.